પાકિસ્તાનને ઉખાડી ફેંકો, અમે ભારતની સાથે : બલોચ નેતા

પાકિસ્તાનના બલુચીસ્તાનમાં જે રીતે અલગતાવાદ આગળ વધી રહ્યો છે અને પાકિસ્તાન સૈન્ય અને પોલીસ સામે પણ બલુચ બળવાખોરો હુમલા કરી રહ્યા છે તે વચ્ચે આ પ્રદેશના નિર્વાસીત બલુચ નેતા મીર યાર બલોચે વિદેશમંત્રી એસ.જયશંકરને એક પત્ર લખીને બલુચીસ્તાનને આઝાદ કરાવવામાં ભારતની મદદ માંગી હતી.

તેઓએ પોતાના ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત અને બલુચીસ્તાન વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને બલુચીસ્તાનના છ કરોડ લોકો ભારતના 140 કરોડ લોકો સામે આશાભરી નજરે જોવે છે. પોતાના પત્રમાં તેઓએ પાકિસ્તાનને જળથી ઉખાડી ફેંકવાની માંગણી કરી છે અને કહ્યું છે કે અમે બલુચીસ્તાનના લોકો પુરી રીતે ભારતની સાથે છીએ.

તેઓએ એ પણ જણાવ્યું કે, હિંગળાજ માતા મંદિર જેવા પવિત્ર સ્થળ પણ આપણી સંયુક્ત વિરાસતના પ્રતિક છે. તેઓએ ઓપરેશન સિંદુરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે બલુચીસ્તાન છેલ્લા 69 વર્ષથી પાકિસ્તાનના અત્યાચારનો શિકાર બની રહ્યું છે અને ભારતનો સાથ મળે તો તે પોતાની સ્વતંત્રતાની લડાઈ ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે જો તેમ નહી થાય તો ચીન પોતાનું સૈન્ય અહી તૈનાત કરશે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *