પહેલગામ હુમલા મામલે અમિતાભની ચુપ્પી પર ફેન્સ અકળાયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ આગબબુલા થઈ ગયા છે. જો કે કેટલાક યુઝર્સ અમિતાભના બચાવમાં પણ આવ્યા છે અને કહ્યું છે. ખામોશી પણ ઘણું બધું કહેતી હોય છે.

રાત્રે 1 વાગ્યાને 20 મિનિટે અમિતાભે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટના નામે માત્ર ટી-5356 લખ્યુ અને આગળની જગ્યા ખાલી છોડી દીધી હતી. જેને લઈને યુઝર્સને ગુસ્સો આવ્યો હતો.

એક યુઝર્સે લખ્યું- જયાજીએ ફોન છીનવી લીધો શું? પહેલગામ વિષે આગળ ન લખી શકયા?, એક યુઝરે લખ્યું- કાશ્મીરમાં જે થયું તેના પર એક પોસ્ટ નહીં! અન્ય યુઝરે લખ્યું- કયારેક કયારેક બોલી નાખવું જોઈએ, નરસંહાર બાદ ખામોશી સારી નથી.

જો કે અન્ય યુઝર્સે બિગબીનો બચાવ પણ કર્યો છે. એક યુઝર્સે બચાવ કર્યો કે ખામોશી ઘણુ બધું કહે છે. અન્ય ફેન્સે લખ્યું- ખૂબજ દુ:ખદાયક લાગે છે, લાગે છે અમિતાભ સર શબ્દોની કમી પડી ગઈ છે, કદાચ કંઈક લખવા ઈચ્છતા હતા પહેલગામ પર.

  • News Reporter

    Related Posts

    આયુષ્માન ખુરાનાની પત્નીને ફરીથી સ્તન કેન્સર, તાહિરા કશ્યપે પોસ્ટ શેર કરી આપી અપડેટ

    અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની વાઈફ અને લેખિકા તાહિરા કશ્યપ (Tahira Kashyap) ને ફરીથી સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. આ મુશ્કેલ સમયમાં તાહિરાને તેના પતિ અને પ્રિયજનોનો સાથ…

    અલ્લુ અર્જુન બર્થ ડે સ્પેશિયલ, ઘણી ઓછી ફિલ્મો છતાં સફળતાના શિખરે !

    અલ્લુ અર્જુન અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છે. તેને સન પિક્ચર્સ દ્વારા સમર્થન આપવામાં આવશે, જેમણે જેલર જેવી ફિલ્મો બનાવી છે. સાઉથ સિનેમા એક્ટર અલ્લુ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *