‘નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા…વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે. નાની મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન જવાના બદલે ગામના આગેવાનો ભેગા મળી ન્યાય કરજો. ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ના જતા સમાજ કુટુંબને ભેગા મળી કરી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ વચેટીયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરતા એક નિવેદન આપ્યું છે. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ થાય. મને અભિનંદન આપવાનું મન થાય છે કે અસાણા ગામ પોલીસ સ્ટેશન એ ઓછું જતું હશે. નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું.

તેમણે ઉમેર્યું હતું કે જો પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે અને જો ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે તો એ વસ્તુ અલગ છે. ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાની મોટી બબાલ થાય તો ઘરમાં પતાવી દેજો, સમાજ વાળા ન્યાય કરશે તેઓ પોલીસવાળા નહીં કરે. ગેનીબેન ઠાકોરે સમાજને સમાજને સમાધાનકારી વલણ અપનાવવા ટકોર કરી છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

    અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…

    1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે

    1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *