આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટ તરફથી 3 મહિનાના વચગાળાના જામીન મળ્યા

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી છે. ખરેખરમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન જે 31 માર્ચે સમાપ્ત થવાના હતા, તેને 3 મહિના માટે લંબાવી દીધા છે. હવે તે 30 જૂન સુધી જામીન પર રહી શકે છે. કોર્ટે આ નિર્ણય તબીબી કારણોસર લીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ લેવામાં આવ્યો છે, જે મુજબ તે 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર જેલની બહાર છે.

આસારામે ગુજરાત હાઈકોર્ટમાં 6 મહિનાના વચગાળાના જામીન માંગ્યા હતા. તેમના વકીલે દલીલ કરી હતી કે ડોક્ટરોએ તેમને 90 દિવસ માટે પંચકર્મ ઉપચાર કરાવવાની સલાહ આપી હતી. પરંતુ બે ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચ સર્વસંમતિ પર પહોંચી શકી ન હોવાથી, આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવ્યો. સુનાવણી બાદ મોટી બેન્ચે 3 મહિના માટે વચગાળાના જામીન મંજૂર કર્યા. તમને જણાવી દઈએ કે, અગાઉ સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 87 વર્ષીય સ્વ-ઘોષિત સંત આસારામને તબીબી આધાર પર 31 માર્ચ સુધી શરતી વચગાળાના જામીન આપ્યા હતા.

અગાઉ આસારામની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જોધપુર કોર્ટે તેમને 31 માર્ચ સુધી પેરોલ મંજૂર કર્યા હતા. જોકે કોર્ટે પેરોલમાં ઘણી શરતો પણ લાદી હતી. જેના હેઠળ તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં, ઉપદેશ આપી શકશે નહીં અને મીડિયા સાથે વાત પણ કરી શકશે નહીં. જોધપુર કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પેરોલ દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ આસારામ સાથે રહે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રોસ્ટેટ અને હાર્ટ બ્લોકેજ સહિત અનેક મોટા રોગોથી પીડાઈ રહ્યા છે. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર નેચરોપેથી અને આયુર્વેદિક પંચકર્મ દ્વારા કરવામાં આવી રહી છે.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *