અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી હતી કે હુક્કાબાર પરમીશન વિના ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ મહંમદપુરા રોડ પર એસ જી હાઇવે નજીક બુ્રરોસ્ટ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને સ્થળ પરથી તપાસ કરતા કેફેમાં ખાસ બનાવવામાં આવેલી જગ્યા પરથી નિકોટીનની અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે કેફેના સંચાલક જસ્ટીન પરેરા ( ઇસાની પાર્ક સોસાયટી, આણંદ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મહિને ૫૦ હજાર રૂપિયાના ભાડેથી ચલાવતો હતો. આ સાથે કેફેમાં ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ અને વિનય તિવારી નામના વ્યક્તિઓની ભાગીદારી હતી. આ અંગે વધુ માહિતી આપતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે હુક્કાબાર પરવાનગી વિના ધમધમતુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદના દિલ્લી દરવાજા પાસેથી જૂથ અથડામણ, કતલખાને લઈ જતા પશુઓનો કરાયો બચાવ

    ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા…

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *