અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી હતી કે હુક્કાબાર પરમીશન વિના ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ મહંમદપુરા રોડ પર એસ જી હાઇવે નજીક બુ્રરોસ્ટ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને સ્થળ પરથી તપાસ કરતા કેફેમાં ખાસ બનાવવામાં આવેલી જગ્યા પરથી નિકોટીનની અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે કેફેના સંચાલક જસ્ટીન પરેરા ( ઇસાની પાર્ક સોસાયટી, આણંદ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મહિને ૫૦ હજાર રૂપિયાના ભાડેથી ચલાવતો હતો. આ સાથે કેફેમાં ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ અને વિનય તિવારી નામના વ્યક્તિઓની ભાગીદારી હતી. આ અંગે વધુ માહિતી આપતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે હુક્કાબાર પરવાનગી વિના ધમધમતુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

    અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…

    1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે

    1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *