અમદાવાદમાં ટાઈટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ,કોઈ જાન હાની થઈ નથી

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં આજે (24મી ડિસેમ્બર) વહેલી સવારે ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભિષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગ લાગવા પાછળનું કારણ શોટ સર્કિટ ના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું છે.

  • News Reporter

    Related Posts

    સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, માનસિક રીતે અસ્થિર હોવાથી છોડી દેવાયો

    બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન…

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *