અમદાવાદના દિલ્લી દરવાજા પાસેથી જૂથ અથડામણ, કતલખાને લઈ જતા પશુઓનો કરાયો બચાવ

ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા આવેલા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બંન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બંન્ને જૂથ વચ્ચે અથડામણ થયું હતુ. પશુઓને લઈ જતા 2 વાહનોને રોકતા મામલો બિચક્યો હતો.

2 જૂથ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંન્ને જૂથને પોલીસે સમજાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો.

કતલખાને લઈ જવાતા પશુઓનો બચાવ

ઉલ્લેખનીય છે કે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં રાત્રીના સમયે ગેરકાયદેસર કતલખાનામાં પશુઓને લઈ જતા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બબાલ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમટ્યાં હતા. જેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

  • News Reporter

    Related Posts

    અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

    શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો…

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *