અમદાવાદના જીવરાજ પાર્કમાં ACના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ, આગ લાગતા માતા-પુત્રનું મોત

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે. જેમા આ આગમાં જ મકાન માલિકની પત્ની અને દીકરાનું જ મોત થયું છે. રવિવારે સાંજે લાગેલી આગમા એસીમા ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના પગલે ગોડાઉનમાં રખાયેલા અન્ય ગેસના બાટલાઓ પણ આગની ચપેટમાં આવ્યા હતા. તેમજ તે ફાટવા લાગ્યા હતા. તેમજ ગણતરીની મિનિટોમા રહેણાંક વિસ્તારમાં આગ પ્રસરી ગઇ હતી.

આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ આગની જવાળાઓ અને ધૂમાડા જોઇ શકાતા હતા. આગ લાગતા જ સોસાયટીના રહીશોમાં પણ ગભરાટ ફેલાયો હતો. તેમજ તમામ ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આગ પણ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘર સળગી ગયું હતું. તેમજ બે લોકો ફસાયા હતા. જેમાં મકાન માલિકના પત્ની ઉપરના માળે ફસાયા હોવાથી આગમા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક બાળકને બચાવીને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જેને બાદમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા

બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હો છે. આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *