
અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે- મનીષ સિસોદિયા
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Attacked in Padayatra) પર તેમની પદયાત્રા દરમિયાન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલ પર કથિત રીતે થયેલા આ હુમલાને લઈને હવે દેશમાં રાજકારણ ગરમાયું છે અને ભાજપ અને આપ બન્ને પક્ષના નેતાઓ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન અનેક વખત હુમલાઓ થયા છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી (Arvind Kejriwal Attacked in Padayatra) સૌરભ ભારદ્વાજે કહ્યું કે “વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે જોડાયેલા લોકોએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.” તેમણે કહ્યું કે “જ્યારે ઈડી, સીબીઆઈ અને જેલથી પણ કામ નહોતું થયું ત્યારે હવે ભાજપના લોકો અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેના માટે સીધી રીતે ભાજપ જવાબદાર રહેશે.”
સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં (Arvind Kejriwal Attacked in Padayatra) હતા ત્યારે તેમનું ઇન્સ્યુલિન બંધ કરવામાં આવ્યું હતું જેથી તેમની કિડનીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે આવો હુમલો કાયરતાપૂર્ણ છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેને જનતાનો પ્રેમ મળી રહ્યો છે, તે સતત જનતાની વચ્ચે જઈ રહ્યો છે. જોકે આપના આ આરોપો સામે ભાજપ દ્વારા કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, પણ આ ઘટનાથી ફરી નવો રાજકીય વિવાદ વકરે તેવા એંધાણ આવી રહ્યા છે.