અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને લઈને ફરી એક વખત સવાલો ઊભા થયા છે. સુભાષબ્રીજ બાદ હવે ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા અરુણ જેટલી ઓવરબ્રીજમાં પણ ગંભીર ક્ષતિ જોવા મળી છે. બ્રિજના સ્પાન જોઇન્ટ માટે લગાવવામાં આવેલા સ્ક્રુ ખુલ્લા દેખાતા હોવાની માહિતી સામે આવી છે, જે વાહનચાલકો માટે મોટો ખતરો સર્જી શકે છે.
વાહનચાલકો જોખમમાં મુસાફરી
સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજ પરથી પસાર થતી વખતે અસમતલ સપાટી અને ખુલ્લા જોઇન્ટના કારણે વાહન હચમચી જાય છે. આ સ્થિતિ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી ન તો બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને ન તો તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ છે. પરિણામે રોજિંદા હજારો વાહનચાલકો જોખમમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.






