અમદાવાદમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના!કાર ચાલકે બાઇકને ટક્કર મારી, બાઇક બોનેટમાં ફસાયેલી હોવા છતાં ઢસેડતા જ ફરાર!

અમદાવાદમાં એક કાર બોનેટમાં મોટરસાઇકલ ફસાઈને ઘણા અંતર સુધી દોડતી રહી. ત્યારબાદ ડ્રાઇવરે વાહન રોક્યું અને ખૂબ જ મુશ્કેલીથી કારમાંથી બાઇકને કાઢી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ હાલમાં આરોપી ડ્રાઇવરની શોધ કરી રહી છે. અહેવાલો અનુસાર રોડ અકસ્માત બાદ મોટરસાઇકલ કારના બોનેટમાં ફસાઈ ગઈ હતી. જોકે વાહન રોકવાને બદલે ડ્રાઇવરે સ્પીડ વધારી દીધી હતી. રસ્તા પર આગળ જતા તેણે બાઇકને કારથી અલગ કરી અને ભાગી ગયો હતો.

આ અકસ્માતમાં એક આધેડ વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આરોપી ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અકસ્માત બાદ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી રહ્યો છે અને મોટરસાઇકલને કારથી અલગ કરતો જોવા મળે છે.

આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો

આ ઘટના શુક્રવારે (27 માર્ચ) સવારે અમદાવાદના એસ.જી. હાઇવે પર બની હતી. પકવાન બ્રિજ અને સોલા બ્રિજ વચ્ચે એક ઝડપી ગતિએ આવતી કાર સોલા બ્રિજ પર ચઢી રહેલા એક આધેડ મોટરસાયકલ સવાર સાથે અથડાઈ હકી. ટક્કર એટલી ગંભીર હતી કે આધેડ વ્યક્તિ હવામાં ઉછળી પડ્યો અને તેની મોટરસાયકલ કારના બોનેટમાં ફસાઈ ગઈ. બાઇક બોનેટમાં ફસાઈ ગઈ હોવા છતાં ડ્રાઇવરે વાહન રોક્યું નહીં અને પૂરપાટ ઝડપે ચલાવવાનું ચાલુ રાખ્યું. બોડકદેવ નજીક પુલ પરથી નીચે ઉતર્યા પછી ડ્રાઇવરે કાર રોકી, મોટરસાયકલને બોનેટ પરથી કાઢી અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો.

પોલીસ ડ્રાઇવરની શોધ કરી રહી છે.

ગંભીર રીતે ઘાયલ આધેડ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એસ.જી. હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરાર ડ્રાઇવરની શોધ ચાલુ છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *