ભવનાથ મેળામાં મૃંગીકુંડ સ્નાન દરમિયાન પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર કિર્તી પટેલ સામે ગુનો દાખલ

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસની રાત્રીના પવિત્ર મૃંગી કુંડમાં સાધુઓ સાથે કિર્તી પટેલે સાધ્વીના ભગવા કપડા પહેરી મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરવાના મામલે વિવાદ સર્જાયો હતો. પોલીસ સાથે બોલાચાલી કરી મહિલા પીઆઇની ફરજમાં રૂકાવટનો ગુનો અંતે દાખલ કરાયો છે.

જૂનાગઢ રેન્જ કચેરીના મહિલા પીઆઇ કે.જે. મોડે ગત મંગળવારના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 15 ફેબ્રુઆરીના મુખ્યમંત્રીના બંદોબસ્તની ફરજ પૂર્ણ કર્યા બાદ શિવરાત્રિના મેળામાં રિઝર્વ હોય રવેડી પૂર્ણ થતાં મૃગી કુંડમાં સ્નાન પહેલા મહાઆરતી ભવનાથદાદાની પૂર્ણ કરી મૃગીકુંડમાં નાગા સાધુઓ-મંડલેશ્વરો પરના અન્ય અખાડાના સાધુઓ સનાતન હિન્દુ ધર્મની રીતે પૂજન કરી મૃગી કુંડમાં શાહી સ્નાન કરતા હતા.

ત્યારે રાત્રીના બારેક વાગ્યાના સુમારે યુ-ટ્યુબર કિર્તી પટેલને ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં સ્નાન કરતા જોવા મળેલ તેને સ્નાન કરતા અન્ય સાધુઓએ આપત્તિ દર્શાવતા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને નાગાસાધુઓ-સંતો ભક્તજનો તેમજ કિર્તી પટેલ સાથે સંઘર્ષ ન થાય તે માટે કિર્તી પટેલને બહાર નીકળી જવા શક્તિપૂર્વ સમજાવટ કરી.

ત્યારે કિર્તી પટેલ ઉશ્કેરાઇ જઇને કહેલ કે હું કોઇ આરોપી નથી તો હું જતી રહીશ મારી પાછળ પાછળ નહીં આવવાનું હું કોઇ આરોપી નથી હો હાલે ચાલો તેમ કહી પોલીસ સામે રોફ જમાવવાની કોશિષ કરેલ મારી બેટીયુ પણ આ તેના બાપનો કુંડ હોય તેમ જણાવેલ.

વાહે વાહે કેમ ફરો છો… આવાને તો હું મારી નાખું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું તથા ફરજમાં રૂકાવટ કર્યાની મહિલા પીઆઇ કે.જે. મોડેએ ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ અદાલતોમાં ચુકાદા અને ન્યાયિક નિર્ણયો લેવા માટે AI (Artificial Intelligence) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

    ગૂજરાત ઉચ્ચ ન્યાયાલયે ન્યાયિક અને અદાલતી વહીવટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે શનિવારે એક સીમાચિહ્નરૂપ નીતિ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા અનાવરણ કરવામાં આવેલી આ…

    ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ના હસ્તે સતાધાર ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા ફ્લાયઓવરથી ખાસ કરીને નારણપુરા, ગોતા અને સોલા વિસ્તારના લોકોને મોટો લાભ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *