મંદિરથી આવ્યા પછી આ 5 કામ ન કરવા, પૂજાનું ફળ નહીં મળે, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ

હિંદુ ધર્મમાં મંદિરમાં પૂજા અને દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર લોકો અજાણતાં એવી ભૂલો કરે છે જે તેમના જીવનને અસર કરી શકે છે. તેમજ દેવ દર્શન પૂજાનું પૂર્ણ ફળ તેમને મળતું નથી. ગરુડ પુરાણ, મનુસ્મૃતિ અને વિષ્ણુ ધર્મસૂત્ર જેવા ગ્રંથોમાં મંદિરથી ઘરે પાછા ફરતી વખતે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે તે વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે તમારી પૂજાનું પૂર્ણ ફળ મેળવવા માંગો છો અને ઘરમાં સુખ-શાંતિ રહે છે, તો મંદિરમાંથી પાછા ફર્યા બાદ આ વાતોનું ધ્યાન રાખો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મંદિરથી ઘરે આવ્યા પછી કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

મંદિરમાં જળ અર્પણ કરવા માટે ઘરેથી કળશમાં પાણી લઇને ગયા હોવ તો તો ત્યાંથી ખાલી ન લાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. તેથી ભગવાનને જળ ચઢાવતી વખતે લોટામાં થોડું પાણી રાખી મૂકો અથવા લોટામાં ફરીથી પાણી ભરી દો. તમે તેમા ફુલો નાંખીને પણ પાછા લાવી શકો છો. વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કોઈપણ પ્રકારની નકારાત્મકતા દૂર રહે છે.

મંદિરમાંથી આવ્યા પછી સીધા શૌચાલય કે કોઈ અપવિત્ર સ્થળે ન જવું જોઈએ. તેનાથી પૂજાનું ફળ મળતું નથી. જરૂર પડે તો થોડી વાર રોકાઈ જાવ.

મંદિરથી પરત ફર્યા બાદ તામસિક ભોજનથી દૂર રહો અને દારૂ જેવી વસ્તુઓનું સેવન ન કરો. આનાથી તમારી પૂજાની અસર ખતમ થઈ શકે છે અને ઘરની પવિત્રતા પણ ખરાબ થઈ શકે છે. વળી આમ કરવાથી દેવી-દેવતાઓનું અપમાન માનવામાં આવે છે.

પ્રસાદ અને ફુલ યોગ્ય જગ્યાએ મૂકો

મંદિર માંથી લાવેલા પ્રસાદ અથવા ફુલોને ક્યારેય ડસ્ટબિનમાં ન ફેંકવા જોઈએ. તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા ઝાડ છોડના મૂળમાં મૂકી દો. રસ્તામાં મંદિરનો પ્રસાદ ખાવાને બદલે ઘરે લાવો અને પરિવાર સાથે મળીને ખાઓ. આમ કરવાથી પ્રસાદનું યોગ્ય સન્માન થાય છે અને તમને તેના પૂર્ણ આશીર્વાદ પણ મળે છે.

મંદિરમાંથી આવ્યા પછી તરત જ ખાવાનું ટાળવું જોઈએ. જ્યારે પણ તમે મંદિરથી આવો ત્યારે પહેલા થોડા સમય માટે ભગવાનનું ધ્યાન કરો, શાંતિથી બેસો અને પછી ભોજન કરો. આમ કરવાથી મન અને શરીર બંને શાંત રહે છે અને ભગવાનની કૃપા રહે છે.

Disclaimer: ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈ પણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી).

  • News Reporter

    Related Posts

    7 જૂને બકરી ઇદ મનાવવામાં આવે છે, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની?

    ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે…

    ગરોળી ઘરમાં આવવી શુભ કે અશુભ? કરોડપતિ બનશો કે કંગાળ? જાણો

    આપણા ઘરમાં ગરોળી જોવી એ ઘણીવાર સામાન્ય વાત હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો તેની અવગણના કરે છે, પરંતુ જ્યોતિષ, વાસ્તુ અને શુકન શાસ્ત્ર અનુસાર ગરોળીનું દેખાવું એ માત્ર એક પ્રાણીનું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *