મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ તેમને 10617 વર્ગ મીટર જમીન 25 કરોડ રૂપિયામાં વેચી છે.અમિતાભ બચ્ચન તરફથી સબરજીસ્ટ્રાર કાર્યાલયમાં પાવર ઓફ એટર્ની રાજેશ ઋષિદેવ યાદવે હસ્તાક્ષર કર્યા. જયારે વિક્રેતા કંપની તરફથી અધિકૃત પ્રતિનિધિ પવન શારદાએ રજીસ્ટ્રી કરી.
ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મસ્તરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જમીન 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદાઈ છે. જમીનના આ સોદા માટે એક કરોડ 76 લાખ 40 હજાર સ્ટેમ્પ ડયુટી જમા કરાઈ છે.રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024માં આ જમીન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.





