અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનાર લોકો માટે ખુશખબર: હવે નહીં બદલવી પડે ટ્રેન

ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને સેક્ટર-1 અને ગિફ્ટ સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. 15 ફેબ્રુઆરીથી મુસાફરો ટ્રેન બદલ્યા વિના APMC-વાસણાથી સેક્ટર-1 સુધી સીધી મુસાફરી કરી શકશે. આ સિવાય હવે લોકોએ મોટેરાથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રો બદલવી નહીં પડે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ગત વર્ષે 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેટ્રો ટ્રેન સેવા વધુ સુવિધાજનક બનવા જઈ રહી છે. ખરેખર, અમદાવાદથી ગાંધીનગર જવા માટે મુસાફરોને મોટેરા સ્ટેશન પર ટ્રેન બદલવી પડે છે. પરંતુ હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવતી મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવા માટે મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મંજૂરી મળી ગઈ છે. સાથે મુસાફરોને હવે સેક્ટર-1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU પર ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં.

GNLU સ્ટેશન અને GIFT સિટી ઑફિસ વચ્ચે દર 30 મિનિટે બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે, જે PDEUમાંથી પસાર થશે. મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 8 વાગ્યે ઉપડશે, જે GNLU સવારે 8:27 વાગ્યે અને GIFT સિટી સવારે 8:43 વાગ્યે પહોંચશે.

ગિફ્ટ સિટીથી પ્રથમ ટ્રેન સવારે 9:03 વાગ્યે ઉપડશે, જે GNLU સવારે 9:20 વાગ્યે અને મોટેરા સવારે 9:46 વાગ્યે પહોંચશે. ગિફ્ટ સિટી માટે છેલ્લી ટ્રેન સાંજે 6:05 વાગ્યે ઉપડશે. સેક્ટર-1 માટે છેલ્લી ટ્રેન સાંજે 6:40 કલાકે દોડશે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *