
ભારતના પરંપરાગત મિત્ર રશિયાએ નવા વર્ષ પહેલાજ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ આપીને દુશ્મનોને ચોંકાવી દીધા છે. રાષ્ટ્રપતિ પુતિને ભારતની નૌકાદળની તાકાત વધારવા માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ આઇએનએસ તુશીલને લોન્ચ કર્યું છે.
આ યુદ્ધ જહાજની ગણતરી વિશ્વના સૌથી ઘાતક યુદ્ધ જહાજમાં થાય છે, જે રશિયાના કેલિનિનગ્રાડથી ભારત માટે રવાના થઈ છે. તમને જણાવી દઈએ કે આ યુદ્ધ જહાજને રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ૯ ડિસેમ્બરે રશિયાના કેલિનિનગ્રાડમાં ભારતીયનૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.
હવે તેના ભારત તરફ જવાના સમાચારે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોની ઊંઘ હરામ કરી દીધી છે. તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ચીને તેને ભારતનો વ્યૂહાત્મક ફાયદો ગણાવીને ચિંતા વ્યક્ત કરી છે.તમને જણાવી દઈએ કે આ જહાજની લંબાઈ ૧૨૫ મીટર છે અને વજન ૩૯૦૦ ટન છે, જે રશિયા અને ભારતના યુદ્ધ જહાજના નિર્માણની અદ્યતન તકનીકો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રભાવશાળી મિશ્રણ છે. આ દરમિયાન હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગરમાં ચીનની પીએલએ નેવીની ગતિવિધિઓ વધી છે. આ અર્થમાં, ભારતીય નૌકાદળમાં આઈએનએસ તુશીલનો સમાવેશ એ ચીન માટે વૈક-અપ કોલ છે. રશિયાએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળનું સૌથી નવું બહુ-ભૂમિકા આઈએનએસ તુશીલ ૧૭ ડિસેમ્બરે રશિયાના કેલિનિનગ્રાડથી ભારત માટે રવાના થયું હતું, જે તેની પ્રથમ ઓપરેશનલ જમાવટની શરૂઆત દર્શાવે છે.