હાર્દિક પટેલ પર લાગેલા દેશદ્રોહના કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા

ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન દાખલ કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચવા માટે 7 ફેબ્રુઆરીએ કોર્ટમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.હવે આ દરખાસ્તને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે, જેના કારણે આંદોલનના તત્કાલીન આગેવાનો માટે મોટી રાહત મળી છે.2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.

તે સમયની ગુજરાત સરકાર દ્વારા આંદોલનકારીઓ સામે રાજદ્રોહ સહિતના કડક કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જે હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા છે.આ સમાચાર પાટીદાર સમાજ માટે મહત્ત્વપૂર્ણ છે અને હવે આંદોલનના આગેવાનો માટે નવી રાજકીય સંભાવનાઓ ખૂલી શકે છે.આ મંજુરીથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા ચિરાગ પટેલ અને અલ્પેશ કથરિયા સહિતના તત્કાલીન પાટીદાર આંદોલનના નેતાઓને રાહત મળશે. સરકારે 7 ફેબ્રુઆરીએ સરકારે રાજદ્રોહ કેસ પરત ખેંચવા કોર્ટમાં દરખાસ્ત મુકી હતી.

જણાવી દઈએ કે, 2015 માં પાટીદાર સમાજને અનામત મળે તે માટે મોટુ આંદોલન કરવામાં આવ્યુ હતુ. ઓગસ્ટ 2015 માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા હતા. આ લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની માંગણી કરી હતી.આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ સહિતના કેસ દાખલ કરાયા હતા.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *