ભારતે લઈ લીધો 2023 વર્લ્ડ કપનો બદલો, કાંગારૂ ટીમને બહાર ફેંકી ફાઈનલમાં કરી એન્ટ્રી

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે જીત મેળવી લીધી છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. હવે બીજી સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાનાર છે. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે.

ભારતે સતત ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 2013 અને 2017માં ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે 9 માર્ચે દુબઈમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે.

  • News Reporter

    Related Posts

    ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

    પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

    પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *