ફ્લાઇટમાં જતા પહેલા જાણી લો આ નવા નિયમો: ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા

જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ (Flight Luggage Rules) પર લાગુ થશે. પરંતુ આ નિયમમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ પેસેન્જરોને છૂટ આપવામાં આવી છે, જ્યાં તેમને 10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી છે.

10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી

બીસીએએસ એટલે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ હવાઈ યાત્રીઓ માટે હેન્ડ બેગના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમ્યાન વધતી ભીડને ઓછી કરવા માટે લાવવામાં આવ્યો છે. એરપોર્ટ સુરક્ષા જોનારા સેન્ટ્રલ ઈંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સે બીસીએએસ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, યાત્રી હવે હવાઈ જહાજમાં ફક્ત એક હેન્ડ બેગ લઈ જઈ શકશે. આ નિયમ તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાગૂ પડશે. જો આપની પાસે એકથી વધારે બેગ છે, તો તમારે તેને ચેક ઈન કરાવવું પડશે.

પ્રવાસીઓ માટે આ નવી માર્ગદર્શિકા

બેગની સાઈઝ અંગેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. બેગની લંબાઈ 40 સેમી, પહોળાઈ 20 સેમી અને ઊંચાઈ 55 સેમીથી વધુ ન હોવી જોઈએ. બેગ કે જે નિર્દિષ્ટ મર્યાદા કરતા મોટી અથવા ભારે હોય તેને ચેક-ઇન કરવી આવશ્યક છે. એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે તેના સામાનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.

પ્રવાસીઓ માટે આ નવી માર્ગદર્શિકા સમજવી અને તેનું પાલન કરવું હિતાવહ રહેશે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત વજન અથવા કદ કરતાં વધુ બેગ પર વધારાના ચાર્જ વસૂલવામાં આવશે. વિવિધ વર્ગના મુસાફરો માટે ચેક-ઇન લગેજ મર્યાદા પહેલાની જેમ જ રહે છે. મર્યાદા કરતાં વધુ સામાન વધારાની ફી વસૂલવામાં આવશે.

આ રહ્યા નવા નિયમો

નવા નિયમ અનુસાર, એક હેન્ડ બેગનો વજન 7 કિલોથી વધારે ન હોવો જોઈએ. આ નિયમ ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસના યાત્રીઓ માટે છે. ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસના યાત્રી લગભગ 10 કિલો સુધી હેન્ડ બેગ લઈ જઈ શકશે. બેગનો આકાર પણ નક્કી કરવામાં આવ્યો છે. ઊંચાઈ 55 સેમી, લંબાઈ 40 સેમી અને પહોળાઈ 20 સેમીથી વધારે ન હોવી જોઈએ. કુલ મળીને બેગનું કુલ માપ 115 સેમીથી વધારે ન હોવું જોઈએ. જો આપના બેગ નક્કી કરેલી મર્યાદાથી ભારે હશે તો તમારે વધારે ચાર્જ આપવો પડશે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *