દરરોજ સવારે ખાલી પેટે એક લીટર પાણી પીવાથી શું લાભો છે ?

દરરોજ સવારે સૌથી પહેલું પાણી પીવું, ખાસ કરીને ખાલી પેટે એક લિટર પાણી, તે એક સુખાકારીનું વલણ છે જે વધુને વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ એક આધુનિક વિજ્ઞાન દ્વારા સમર્થિત છે.આ સરળ ટેવ તમારા શરીરને શક્તિશાળી બનાવી શકે છે. અને ઝેરી પદાર્થોને બહાર કાઢવાથી માંડીને મહત્ત્વના શરીરના ઓર્ગનને ફરીથી હાઇડ્રેટ કરવા, ચયાપચયને દુરસ્ત કરવું અને મનને ઊર્જાવાન બનાવે છે.માત્ર હાઇડ્રેશનથી આગળ, સવારનું પાણી પાચન, ત્વચાનાં આરોગ્ય, રોગપ્રતિકારક શક્તિ, વજન ઘટાડવામાં અને એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.

રિહાઇડ્રેશન અને એનર્જી રિબુટ

માનવીમાં લગભગ 60-75 ટકા પાણી હોય છે, અને હળવું ડિહાઇડ્રેશન પણ તમને સવારે કંટાળાજનક અનુભવ કરાવે છે. ઊંઘ દરમિયાન શ્વાસ અને પરસેવા દ્વારા શરીર કુદરતી રીતે અડધાંથી એક લિટર પાણી ગુમાવે છે.

જાગ્યા પછી તરત જ 1 લિટર પાણીનું સેવન કરવાથી આ ઉણપની ભરપાઈ થાય છે અને શરીરમાં પ્રવાહીનું સ્તર પુન:સ્થાપિત થાય છે, તે સાંધાને લ્યુબ્રિકેટ કરવા, ઓક્સિજન અને પોષકતત્ત્વોને પુન: સરકયુલેટમાં લાવવા, અને તમારી કાર્ડિયોવાસ્ક્યુલર અને ન્યુરોલોજિકલ સિસ્ટમ્સની કામગીરીમાં પણ મદદરૂપ થાય છે અને મગજની કામગીરીને જમ્પસ્ટાર્ટ કરી ઊર્જામાં વધારો કરે છે.

ચયાપચય અને પાચનશક્તિમાં વધારો

સવારે ખાલી પેટે એક લિટર પાણી પીવું. આ પાણી પ્રેરિત થર્મોજેનેસિસને પણ ઉત્તેજિત કરે છે, જે અભ્યાસો અનુસાર, એક પ્રક્રિયા છે, જે ઠંડું પાણી પીધાં પછી એક કલાક સુધી તમારા મેટાબોલિક રેટને લગભગ 24-30 ટકા સુધી વધારી શકે છે, જે સમય જતાં માપવામાં આવે ત્યારે દરરોજની આશરે 48 કિલો કેલરીની વધારાની કેલરી બર્ન કરે છે, જેના પરિણામે એક વર્ષમાં 2.5 કિલો ચરબી ઘટી શકે છે.

તદુપરાંત, એક લિટર પાણી પેરિસ્ટાલોસિસને પુનજીર્વિત કરે છે – તમારા આંતરડાના લયબદ્ધ સંકોચન – જે આંતરડાના હલનચલનને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે અને કબજિયાતને દૂર કરે છે અને એસિડિટી છાતીમાં બળતરાને ઘટાડે છે.

ડિટોક્સિફિકેશન અને કિડનીની તંદુરસ્તી

મોર્નિંગ હાઇડ્રેશન મૂત્રના ઉત્પાદનમાં વધારો કરીને અને ચયાપચયની પ્રક્રિયાઓમાંથી સંચિત ઝેરને ફ્લશ કરીને કિડનીની કામગીરીને ટેકો આપે છે, જે કિડનીના સારા સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. પેશાબને પાતળો કરીને અને પેટના એસિડને સંતુલિત કરવાથી, સવારે પાણીનું સેવન કિડનીમાં પથરીનું જોખમ ઘટાડે છે અને પેટની એસિડિટીને દૂર કરે છે.આ વારંવાર પેશાબને પ્રોત્સાહિત કરીને મૂત્રાશયના ચેપને રોકવામાં પણ મદદ કરે છે. જો કે શરીરની કિડની પાણીના સમયની જરૂરિયાત વિના કુદરતી રીતે ડિટોક્સિફાઇ કરે છેે.

વજનનું નિયંત્રણ અને ભૂખનું

નિયંત્રણ સવારનાં નાસ્તા પહેલાં એક લિટર પાણી પેટને ભરી દે છે અને ભૂખને દબાવવામાં મદદ રૂપ થઈ શકે છે, જે વૃદ્ધ વયસ્કોમાં કેલરીના સેવનને 10-13 ટકા સુધી ઘટાડવામાં મદદ કરે છે. મેટાબોલિઝમને વેગ આપવા સાથે, સવારની ટેવ ધીમે ધીમે અને ટકાઉ વજન ઘટાડવામાં ટેકો આપે છે.

ત્વચા અને વાળની તંદુરસ્તી

લગભગ 30-75 ટકા પાણીનું પ્રમાણ ધરાવતી ત્વચા અને વાળ હાઇડ્રેશન પર આધાર રાખે છે. સવારનાં સમયે પાણીનું સેવન કરવાથી ઝેર ફ્લશ થાય છે, રુધિરાભિસરણને વેગ મળે છે, સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે છે, શુષ્કતા ઘટે છે અને તમને તે ચમક મળે છે. તેવી જ રીતે, પાણી વાળની તંદુરસ્ત ફોલિકલ્સને પ્રોત્સાહિત કરે છે, જે ચમક અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે.

સવારે પાણી પીઓ પરંતુ ધ્યાનપૂર્વક

હા, સવારે સૌથી પહેલાં ખાલી પેટે પાણીની આખી બોટલ પીવાથી અપ્રતિમ સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કે, તે ધ્યાનમાં રાખવું કે એક જ સમયે એક લિટર પાણી પીવાથી શરૂઆત ન કરવી જોઈએ.

પાણી પીધાં બાદ નાસ્તો કરતા પહેલા 30-45 મિનિટ સુધી રાહ જુઓ, જેથી પાણી તેનું “ફ્લશ એન્ડ પ્રેપ” કામ કરી શકે. આ પદ્ધતિ જાપાનીઝ “વોટર થેરાપી”માં જોવા મળે છે.

પાણીને ધીમેથી લો. પેટનું ફૂલવું કે અગવડતા ન પડે તેમ પાણી પીઓ.

  • News Reporter

    Related Posts

    ચોમાસામાં અવશ્ય પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ થશે ડિટોક્સ

    ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે…

    દરરોજ એક ‘દાડમ’ દુર કરશે અનેક બિમારીઓહેલ્થ ટીપ : દાડમમાં છુપાયેલ છે ‘અઢળક પોષણ’

    રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે દાડમમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ હોય છે. આયર્ન, વિટામિન્સ જેવાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.જે ફ્રી રેડિકલ્સથી શરીરને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *