
રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની બેઠકોની પેટાચૂંટણીઓ માટે પણ મતદાન યોજાશે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ગુજરાત સરકારે 2023 માં પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં OBC માટે 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે.
રાજ્ય ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે મતગણતરી મંગળવારે થશે. આ યાદીમાં જણાવાયું છે કે “બિનહરીફ” જાહેર કરાયેલી 213 બેઠકો પર કોઈ ચૂંટણી થશે નહીં કારણ કે આ દરેક બેઠકો પર ફક્ત એક જ ઉમેદવાર મેદાનમાં બાકી છે જ્યારે બાકીના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે.
આ રીતે હવે આ ચૂંટણીઓમાં કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે. અન્ય પક્ષોના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા બાદ ભાજપે અગાઉ દાવો કર્યો હતો કે તે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઠ બેઠકો સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓની તમામ 213 બેઠકો પર બિનહરીફ જીત મેળવશે.
ભાજપે એવો પણ દાવો કર્યો હતો કે તે ચાર નગરપાલિકાઓ – ભચાઉ, જાફરાબાદ, બાંટવા અને હાલોલ – માં જીતશે કારણ કે તેના પક્ષમાં ‘બિનવિરોધ’ જાહેર કરાયેલી બેઠકોની સંખ્યા આ દરેક મ્યુનિસિપલ સંસ્થાઓમાં જરૂરી બહુમતી કરતાં વધુ હતી. જોકે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તરફથી ધમકીઓ મળ્યા બાદ તેમના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા.ભાજપે કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપ શાસિત JMCના 15 વોર્ડમાં કુલ 60 બેઠકોમાંથી, શાસક પક્ષને 8 બેઠકો ‘બિનહરીફ’ મળવા જઈ રહી છે, કારણ કે ગયા અઠવાડિયે કોંગ્રેસના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા હતા.