શરુ થયો ખરમાસ, 14 જાન્યુઆરી સુધી વિવાહ પર વિરામ; ભૂલથી પણ ન કરતા આ કામો

સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે. તો ચાલો જાણીએ આ એક મહિના સુધી શું ન કરવું જોઈએ.

15 ડિસેમ્બરના રોજ સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ખરમાસનો પ્રારંભ થઈ ગયો છે. જે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ સુધી ચાલશે. આ દરમિયાન માંગલિક કાર્યો, વિવાહ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, નવ પ્રતિષ્ઠાન, વધુ પ્રવેશ, મુંડન, ઉપનયન, સંસ્કાર, દેવ પ્રતિમાની પ્રતિષ્ઠા જેવા કાર્યો પર વિરામ લાગી જાય છે. જો કે તમે ધાર્મિક અનુષ્ઠાન કરી શકો છો. જેવા કે સત્યનારાયણ કથા, હવન.

15 ડિસેમ્બરની રાતે 10.11 વાગ્યાથી 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8.56 મિનિટ સુધી સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સુધી ખરમાસ રહેશે. વરને સૂર્યના બળ અને કન્યાના બૃહસ્પતિના બળ સાથે જોડવામાં આવે છે, તેમજ બંનેને ચંદ્રનું બળ હોવાથી વિવાહના યોગ બને છે. એના પર જ લગ્નની તિથિ નિર્ધારિત થાય છે. ખરમાસ શરુ થઈ જવાથી વિવાહ સંસ્કારો પર એક મહિના સુધી રોક લાગી જશે.

ખરમાસમાં આ કામ કરવાથી બચો

ખરમાસ મહિનામાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવું યોગ્ય નથી. શાસ્ત્રોમાં આ અંગે સ્પષ્ટ નિષેધ છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન જેવા સમારોહનું આયોજન ન કરવું જોઈએ.આ સિવાય ખરમાસમાં નવું મકાન, પ્લોટ કે ફ્લેટ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. નવા મકાનમાં જવું પણ આ સમયે શુભ માનવામાં આવતું નથી, કારણ કે તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ખરમાસ દરમિયાન, ઉપનયન સંસ્કાર, નવા વ્રત અથવા પૂજા વિધિ શરૂ ન કરવી જોઈએ, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. માનવતા ન્યૂઝ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)

  • News Reporter

    Related Posts

    પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

    ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે…

    દિવાળી પર રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ પૈસાનો વરસાદ થશે.

    દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે અમુક વસ્તુ દાન કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે રાશિ પ્રમાણે દાન કરશો તો દેવી લક્ષ્મી ખૂબ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *